પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૫
સત્યાગ્રહીની વરાળ

વણોદના ભાઈ વીરચંદ લખે છે:

“આજના ‘નવજીવન’નો અગ્રલેખ વાંચ્યો. કિશોરલાલભાઈ પરનો પત્ર મારો હતો. તે સંબંધી મારો ખુલાસો:

૧. શ્રી. કિશોરલાલભાઈ પરના પત્રમાં જ મેં જણાવેલું કે, ‘એ પત્ર હું ઉશ્કેરાયેલી હાલતમાં લખું છું.’ મોરબીના ઉપરાઉપરી મળેલા સમાચારોએ મને ખૂબ ઉશ્કેરી મૂકેલો. એટલે ક્રોધથી ભરેલ પત્રનું આપનું કથન સ્વીકારું છું.

૨. આપ તે જ લેખમાં જણાવો છો કે, ‘દેશી રાજ્યોની રૈયત જો અત્યારે વિનયથી કરાવાય તેટલા જ સુધારા કરાવી સંતુષ્ટ રહે, રચનાત્મક કાર્યમાં ગૂંથાયેલી રહે તો ઇચ્છિત સ્થાન વહેલું મેળવે.’ આનો મારો જવાબ :

આજે કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ક્યાંયે સુધારા કરાવવા લડત ચાલતી નથી. બ્રિટિશ હિંદની સ્વતંત્રતાને અંતે જ અમારો ઉદ્ધાર છે એ હું સંપૂર્ણ રીતે સ્વીકારું છું, પણ જ્યાં દેશી રાજ્યો લડત આપવા સામાં આવે ત્યાં શું કરવું ? સત્યાગ્રહની રાષ્ટ્રવ્યાપી લડતમાં ભાગ લેવાને કારણે હદપાર કરે, કુટુંબોને છોકરાને વાંકે સતાવે, ખોટાં આળો મૂકી ખોટા કેસો કરી સંડોવે; અને તેયે આ સંધિકાળમાં. જો લડત વખતે આમ થયું હોત તો જરાય દુઃખ ન જ થાત. ત્યાં શું કરવું? ત્યાં લડત ન હોય? દાખલા તરીકે : (દાખલા અહીં નથી આપ્યા. તંત્રી )

૩. મહાસભા ૨૫ કરોડની કે ૩૩ કરોડની ? અમારાં દુઃખદર્દો મહાસભાને — ગુજરાત પ્રાંતિક સમિતિને — લખી જણાવીએ તે