પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

કર્મથી અહિંસા ને સત્યમાં શ્રદ્ધા રાખી પોતાનું કાર્ય તનમનથી કરશે, તો રાજકોટની પ્રજા સ્વરાજનો બોજો જરૂર ઊચકી શકશે. એ સેવામંડળનાં નામો નીચે પ્રમાણે છે :

૧. શ્રી. ઉછરંગરાય ન. ઢેબર
ર. „ જેઠાલાલ હ. જોશી
૩. „ પોપટલાલ પુ. અનડા
૪. „ રામજીભાઈ માણેકચંદ દોશી
પૂ. „ સૌભાગ્યચંદ વીરચંદ મોદી
૬. „ જમનાદાસ શાહ
વાંચનાર જોશે કે જે ભાઈઓને મેં સૂચવેલા કાર્યમાં કે અહિંસા સત્યમાં ધર્મરૂપે શ્રદ્ધા નથી તેઓ અળગા રહ્યા છે. પણ તેઓ આ કાર્યક્રમનો વિરોધ નહીં કરે અને મંડળનું કંઈ કાર્ય તેમનાથી શ્રદ્ધાપૂર્વક થઈ શકે એવું હશે ને તે તેઓને સોંપવામાં આવશે તો સહર્ષ કરશે. આવા ત્યાગ અને સ્વદેશપ્રેમને સારુ એ ભાઈઓને ધન્યવાદ આપું છું.

રાજકોટ, ૧૩–૩–૩૯
હરિજનબંધુ, ૧૯–૩–૧૯૩૯