ઢાળ આઠમી
સદ્ગુરુ શરણ વિના , અજ્ઞાન તિમિર ટળશે નહીં રે;
જન્મ મરણ દેનારૂં, બીજ ખરૂં બળશે નહીં રે. એ ટેક.
પ્રેમ વચનામૃત પાન વિના, સાચા ખોટાના ભાન વિના;
ગાંઠ હ્રદયની જ્ઞાન વિના, ગળશે નહીં રે. સદ્૦ ૧
શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તનમન ઇન્દ્રિય તત્પર તારે;
વગર વિચારે વળમાં, સુખ મળશે નહીં રે. સદ્૦ ૨
તત્ત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં;
સેવક સુત સારામાં, દિન વળશે નહીં રે. સદ્૦ ૩
કેશવ હરિની કરતાં સેવા, પરમનંદ બતાવે તેવા;
શોધ વિના સજ્જન એવા, મળશે નહીં રે. સદ્૦ ૪
ઢાળ નવમી
પ્રભુના ભજન વિના બંધન તારૂં, ટળવું નથી રે;
માનવ તન ખોયું તો તે, પાછું મળવું નથી રે. એ ટેક.
ધનજન યોવન કેરા વળમાં, છટકી છંડાયો જો છળમાં;
તો બળમાં અજ્ઞાન કદી બળવું નથી રે. પ્રભુ૦ ૧
ધ્યાન સદા વિષયોનું ધરતા, દાન પુણ્યનો પંથ વિસરતા;
ખોટી ખટપટ કરતાં, સુખ વળવું નથી રે. પ્રભુ૦ ૨
ભવસાગર તરવાનું બારૂં, હરિના શરણ થકી શું સારૂં;
મારૂં તારૂં પ્રાણ કશું, પળતું નથી રે. પ્રભુ૦ ૩
કાળ ફરે છે નિશદિન માથે, જાગીને જો હિત છે હાથે;
કેશવ હરિજન સાથે, શું હળવું નથી રે. પ્રભુ૦ ૪