પૃષ્ઠ:Divadi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાઘડી વગરનું ઘર:૩૩
 

એનો અર્થ એમ નહિ કે મુંબઈમાં ખાલી મકાનો, બંગલાઓ, મહેલો કે ઓરડા ઓછા છે; પણ તે મેળવવાનું કામ સ્વરાજ્ય મેળવવા કરતાં પણ અઘરું છે. મહેલ કે બંગલા તો કિશોરે બાદ જ કરવાના રહ્યા. માત્ર મહેલ જેવા દેખાતા માળાઓનાં કબૂતરખાનામાં જ તેણે એકાદ ઓરડી કે છજું શોધી કાઢવાનું હતું.

અને તેને સદભાગ્યે ભારે ચઢઊતરને અંતે એક ઘર મળ્યું પણ ખરું. એક મકાનના પાંચમા માળની ઉપર આવેલી અગાશીમાં જવાની સીડીને છેડે થોડા પડદા ગોઠવી ખુલ્લી જગામાં ઓરડીની સીનસિનેરી કોઈ દયાળુ મહેતાજીએ ઊભી કરી હતી, અને તે તકલાદી બનાવટી ઓરડી મહામુસીબતે ભાડે આપવા તૈયાર થયા. ઘરહીન ભટકતા યુવાનો પ્રત્યે તેને ઘણી દયા ઊપજતી હતી એટલે, અને માળાની આખી વ્યવસ્થા, તેના હાથમાં હોવાને લીધે આટલી સગવડ એ વધારી શક્યો હતો એ ઓરડીનું ભાડું મહિનાની શરૂઆતમાં જ પચાસ રૂપિયા જેટલું હળવું લેવાનું હતું. માત્ર એ ઓરડીમાં રહેવાની સગવડ કરી આપવા માટે મહેતાજીને ખુશબખ્તીમાં રૂપિયા પાંચસો એકની પાઘડી આપવાની શરત એમાં પહેલી જ રાખવામાં આવી હતી.

વિશ્રાંતિગ્રહ કરતાં આર્થિક દૃષ્ટિએ આ પડદા પોશ ઓરડીમાં વધારે વિશ્રાંતિ મળે એ કિશોરને સંભવ લાગ્યો. ખુલ્લી અગાશી તો પાસે હતી જ. અને ઓરડી જોકે ઘણી નાની કહેવાય, છતાં પતિ પત્નીની એકતા નાની ઓરડીમાં જ વધારે સિદ્ધિ પામે એમ તેને દેખાયું. લલિતજીએ એક કાવ્ય લખ્યું છે જેમાં આપેલી એક સાખી જાણે મુંબઈના માળાનો અનુભવ લઈ લખી હોય એમ લાગે છે :

"સોહં સોહં સતી રટે, સાહં, સાહં કંથ.”

મુંબઈના માળાઓમાં રહેતી સતીઓના શ્વાસમાં બે સીઢી ચઢતાં 'સોહં સોહં' ના પરમ પવિત્ર શ્વાસેહ્વાસ આપોઆપ