પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત પાર્વતી : ( ગોઠણભર થઈ તે ) કેટલાં ગયાં એ જુ છે, પણ જાય છે એ જુએ છે ? જુએ, અમે સાત ભાઈ એ, છ ભાઈ એ મારા એમ ને એમ કુવારા તે કુંવારા મરી ગયા. લીલ પરણાવતી વખતે બધા ખાવા આવે છે, પણ કાઈ ને વિચાર થાય છે, કે આના કપાળમાં ચાંદલા કરીએ ? નાત કેમ આના કાંઇ બંદોબસ્ત નથી કરતી ? નાતનાં માણસને નાત નહિ પરણાવે તે કાણુ પરણાવશે? ગામનાં કરા ક પરગામ રમવા જશે ? અને અમે શા ખાટા છીએ ? શું અમે લૂલા છીએ, અપંગ છીએ, આંધળા છીએ, બહેરા છીએ, મૂંગા છીએ ? શું અમારું કુળ હલકું છે? અમારા કુળમાં નાતા થઈ છે. એવી કાણે કરી છે? હા, અત્યારે પૈસે ટકે ઘસાઈ ગયા હઈશું, પણ એમ દશાવીશી સહુની ચાલતી આવી છે! નાતમાં સૌ સરખું. એ મારા ભાઈ મરી ગયા એની આંતરડી નહિ કચવાઈ હાય ! હજી તે જુએ શું થવાનું છે તે! એ વરસથી મેં ઉપાસના માંડી છે. પંચકેશ રખાવ્યા છે. નાતનું નિકંદન ન કાઢી નાખું તે થઈ રહ્યું છે. ત્રિભુઃ લે રાખ રાખ ! ક્યાંક ઉપાસનામાં માર્ચ રક્ષતુ ભૈરવને બદલે માત્ર મલતુ ભૈરવ: થઈ જશે, તે તારું જ નિકંદન નીકળી જશે. તને તે ચંડીપાડે ય પૂરા નથી આવડતા. પાર્વતીઃ આ જોને મોટા વિદ્વાનની પૂંછડી થઈ બેકા ૧૪૮ છે! બધા મને કહેવા આવેા છે. પણ તમારી માતાનું સત જ માંડયું છે જવા, એની વાત નથી કરતા. જે માણસા ઢેઢનાં કરાં માતાના મંદિરમાં ધાલે એવાને કન્યા આપે છે તે અમને પાડની વાતેા કરવા આવેા છે !

  • નીલેદાહ, ગાય પરણાવવાની ક્રિયા, જે ખાસ કરીને મેટી

ઉંમરે પરણ્યા વિના ગુજરી ગયેલ બ્રાહ્મણ પાછળ કરવાના કેટલીક નાતામાં ચાલ છે. પરણેલા પછવાડે પણ થઈ શકે છે. 27