પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૦]
:એકતારો:
 




અનાદર પામેલી લેખિનીનો પત્ર

[બંગાળી માસિકોની ઊભી ને ઊભી રહેતી કાવ્યોની માગણીએ કવિવર રવીન્દ્રનાથને લાચાર બનાવ્યા છે. વૈશાખના વિચિત્રા–અંકને કવિ એક કાવ્ય મોકલે છે, તેનો આ અનુવાદ છે. તેમાં કાલિદાસ 'મેઘદૂત'માં યક્ષને જે સ્થાન આપ્યું તેવું હાસ્યરસિક સ્થાન કવિવર 'કાલિદાસી’ અર્થાત કલમને આપે છે.]

Q

સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,
અંદરથી લખવાની તાકીદ એક નથી રે !
ગદ્યપદ્યનું મૌન હૃદયની મધ્ય જડાયું,
ગણગણ કરતાં જાય દિવસ ને ખૂટે આયુ.
ટાઢ તાપમાં ખેતર સામે તાકી બેસું,
સૂઝે નવ કો શબ્દ, ભર્યું ભેજામાં ભૂસું. ૧.

ડેસ્ક પરે એ પડી બાપડી બડી વિજોગણ,
હોત કદી જો કવિ–કાષ્ઠની એ મુજ લેખણ,
વિરહોર્મિ નિજ પદ્ય મહીં વહવીને લાવત,
પ્રિયાવિયોગી યક્ષ સમું આ ગાન સુણાવતઃ ૨.