આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૬૩]
શાસ્ત્ર – અર્થની
વ્યર્થ બડાઈ કર્યા કરતાને !
ઓ જગદીશ !
ઓ જગદીશ !
સાદ પડ્યો તુજ–
"વળી જાઓ આ પ્રકૃતિ કેરા
સત્ય – પાટલે
ધરતીના સુવિશાલ બાજઠે.”
કર તેડાં તુજ યજ્ઞવેદિની
ચોગમ નવદીક્ષિત બટુકોને
આસન દે તું
ઓ જગદીશ !
ઓ જગદીશ!
એ તવ નવદીક્ષાને તાપે
એક દિવસ આ
રાષ્ટ્ર પુરાતન
અમૃત પીશે
આત્મભાનનાં,