પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વ્યંજનોને શાસ્ત્રીય રીતે ગોઠવવામાં આવ્યાં છે.

રસાયણશાસ્ત્રના આવર્તન કોઠા માફક આપણી વર્ણમાળા પણ આવર્તી ગુણધર્મના નિયમ અનુસાર રચાઈ છે. કક્કામાં વર્ણો કે વ્યંજનોને પાંચે હરોળ અને પાંચ સ્તંભોમાં ગોઠવાય છે. આમાં ત્રણ મહત્ત્વના વિભાગોનો હોય છે. (૧) ઘોષ-અઘોષ વ્યંજનોનો; (૨) અલ્પપ્રાણ-મહાપ્રાણ અને (૩) અનુસ્વારોનો

તેમની ગોઠવણી આ પ્રમાણે થયેલી છે.

વર્ગ અઘોષ (કઠોર) અઘોષ (કઠોર) ઘોષ (મૃદુ) ઘોષ (મૃદુ) અનુસ્વાર ઉચ્ચાર સ્થાન
અલ્પ-પ્રાણ મહા-પ્રાણ અલ્પ-પ્રાણ મહા-પ્રાણ
ક-વર્ગ કઙઠ્ય
ચ-વર્ગ તાલવ્ય
ટ-વર્ગ મૂર્ધન્ય
ત-વર્ગ દંત્ય
પ-વર્ગ ઓષ્ઠ્ય