પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યા તે પહેલાં પણ પોતાનું કામ કરતાજ હતા અને આજ કદાચ મનુષ્યજાતિ તેને ભૂ્લી જાય,તો પણ તે નિયમો પોતાનું કામ કરતાજ રહેશે, ઠીક એજ વાત આધ્યાત્મિક જગતનું સંચાલન કરનારા નિયમોમાં પણ છે. એક આત્માનો બીજી આત્મા સાથે અને જીવાત્માનો આત્માઓનાં પરમ પિતા સાથે જે નૈતિક તથા આધ્યાત્મિક સબંધ છે, તે તેમનાં આવિષ્કાર પહેલાં પણ અને આપણે કદાચ તેને ભૂલી જાઇએ તો પણ, બનેલ તો રહેશેજ. આ નિયમો કે સત્યો્નાં આવિષ્કાર કરવા વાળા ઋષિ કહેવાય છે અને આપણે તેમને પૂર્ણત્વ સુધી પહોંચેલા આત્મા માની સમ્માન આપીએ છીએ. શ્રોતાઓને એ જણાવતા મને આનંદ થાય છે કે આ મહાનતમ ઋષિઓમાં અમુક સ્ત્રીઓ પણ હતી.

અહીં એવું કહી શકાય કે આ નિયમ, નિયમનાં રૂપમાં અનંત ભલે હોય, પરંતુ તેમનો આદિ તો જરૂર હોવુંજ જોઇએ. વેદ આપણને એ શિખવાડે છે કે સૃષ્ટિનો ન આદિ છે ન અંત. વિજ્ઞાને આપણને સિદ્ધ કરી બતાવ્યું છે કે સમગ્ર વિશ્વની તમામ ઊર્જા-સમષ્ટિનું પરિમાણ સદા એક સરખુંજ રહે છે. તો પછી, જો એવો કોઇ સમય હતો, જ્યારે કે કોઇ વસ્તુનું અસ્તિત્વજ નહોતું, તે સમયે આ સંપુર્ણ ઊર્જા ક્યાં હતી? કોઈ કોઈ કહે છે કે ઈશ્વરમાંજ તે બધી અવ્યક્ત રૂપમાં સમાયેલ હતી. ત્યારેતો ઈશ્વર ક્યારેક અવ્યક્ત અને ક્યારેક વ્યક્ત છે; આનાથીતો તે વિકારશીલ થઇ જશે. પ્રત્યેક વિકારશીલ પદાર્થ યૌગિક હોય છે અને દરેક યૌગિક પદાર્થમાં તે પરિવર્તન અવસ્યંમ્ભાવી છે, જેને આપણે વિનાશ કહીયે છીએ. આ રીતે તો ઈશ્વરની મૃત્યુ થઇ જશે, જે અનર્ગલ છે. માટે એવો સમય ક્યારેય ન હતો, જ્યારે આ સૃષ્ટિ ન હતી. હું એક ઉપમા આપું; સ્રષ્ટા અને સૃષ્ટિ માનો બે રેખાઓ છે, જેનો ન આદિ છે, ન અંત, અને જે સમાન્તર ચાલે છે. ઈશ્વર નિત્ય ક્રિયાશીલ વિધાતા છે, જેમની શક્તિથી પ્રલયપયોધિમાંથી નિત્યશઃ એક પછી એક બ્રહ્માંડનું સૃજન થાય છે, તે અમુક કાળ સુધી ગતિમાન રહે છે, અને તત્પશ્ચાત તે પુનઃ નષ્ટ કરી દેવામાં આવે છે.

(Cont`d)

વિશ્વ ધર્મસભા શિકાગો-૧૯ સપ્ટે.૧૮૯૩.