આનંદી કાગડો
ગિજુભાઈ બધેકા
એક કાગડો હતો.તે એકવાર રાજાના વાંકમાં આવી ગયો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું : ‘જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો.’
કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યા અને આનંદથી બોલવા લાગ્યા :
‘ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ!
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ.’
રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યાં કે આ કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય.’ કાગડાને કૂવામાં નાખ્યો.
કાગડાભાઈ તો કૂવામાં પડ્યા બોલ્યા :
‘કૂવામાં તરતાં શીખીએ, ભાઈ
કૂવામાં તરતાં શીખીએ છીએ.’
રાજા કહે : ‘હવે તો કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ.’
પછી તો કાગડાને કાંટાના એક મોટા જાળામાં નખાવ્યો.