આત્મા શું છે? તે કંઈ કરે છે.? અને તેને કર્મ નડે છે કે નહીં?
ઈશ્વર શું છે? તે જગત્કર્તા છે એ ખરું છે?
મોક્ષ શું છે?
મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય?
એમ વાંચવામાં આવ્યું છે કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય; આ બરાબર છે?
આર્ય ધર્મ તે શું? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?
વેદ કોણે કર્યા? તે અનાદિ છે? જો અનાદિ હોય તો અનાદિ એટલે શું?
ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તો નથી? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો?
પશુ આદિના યજ્ઞથી જરાય પુણ્ય છે ખરું?
જે ધર્મ ઉત્તમ છે એમ કહો, તેનો પુરાવો માગી શકાય ખરો કે?
ખ્રિસ્તી ધર્મ વિષે આપ કંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો?
તેઓ એમ કહે છે: બાઇબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો હતો.
જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડયું છે?
આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા
પડી શકે તો કોને?
મોક્ષ પામેલાનાં નામ આપ આપો છો તે શા આધાર ઉપર? બુદ્ધદેવ પણ મોક્ષ નથી
એ શા ઉપરથી આપ કહો છો?
દુનિયાની છેવટ શી સ્થિતિ થશે?
અા અનીતિમાંથી સુનીતિ થશે ખરી?
દુનિયાનો પ્રલય છે?
અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?
કૃષ્ણાવતાર અને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા, કે તેના અંશ હતા? તેમને માનીને મોક્ષ ખરો?
બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર તે કોણ?
મને સર્પ કરડવા આવે ત્યારે તેને મારે કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.