એવા ગુનાઓમાં જયુરીથી કેસ ચલાવવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી. વિધાનપરિષદની બેઠક પિટરમેરિત્સબર્ગમાં પહેલવહેલી ભરાઈ. | |
૧૮૫૮ | એમેટોંગા જાતિના આદિવાસીઓને મજૂર બનાવવાનો નાતાલનો પ્રયાસ નિષ્ફળ ગયો. જાવામાંથી ચીની અને મલાઈ મજૂરોને લાવવામાં આવ્યા. હિંદી સરકારને આ બાબતમાં કરેલી વિનંતી સફળ નીવડી. |
૧૮૫૯ | નાતાલની વિધાનપરિષદે હિંદી મજૂરોને લાવવાનો કાયદો પસાર કર્યો. |
૧૮૬૦ | નાતાલના શેરડીના બગીચાઓ પર કામ કરવા માટેનો મદ્રાસના હિંદી ગિરમીટિયા
મજૂરોનો પહેલો જથ્થો દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર પ્રથમ વાર આવ્યો. |
૧૮૬૬ | નાતાલમાં હિંદી ગિરમીટિયા મજૂરોનો આંકડો ૫,૦૦૦ સુધી પહોંચ્યો. |
૧૮૬૮ | બસુટોલૅન્ડને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દેવાયું. |
૧૮૬૯ | ફ્રી સ્ટેટમાં હીરાની ખાણો મળી આવી. |
૧૮૭૦ | કિંબરલીમાં હીરા મળી આવ્યા. નાતાલમાં ગિરમીટમુક્ત મજૂરોને જમીન અપાવવાની પરવાનગી આપતો ૧૮૭૦નો
બીજો કાનૂન પસાર થયો. |
૧૮૭૨ | કેપ સંસ્થાનમાં સંપૂર્ણ જવાબદાર શાસનની સ્થાપના કરવામાં આવી. |
૧૮૭૬ | દેશીઓના મામલા અંગેના કમિશને દેશી લોકો ઉપર કારોબારી તંત્રને વધારે મોટી
સત્તા આપી, પ્રિટોરિયા શહેરનો પાયો નંખાયો. રેલવેના બાંધકામ અને ગોદીની મરામત માટે હિંદી મજૂરોને લાવવાનું જારી કરવામાં આવ્યું. |
૧૮૭૭ | ટ્રાન્સવાલને બ્રિટિશ સામ્રાજય સાથે જોડી દેવામાં આવ્યું. |
૧૮૭૮ | ટ્રાન્સવાલનું બ્રિટિશ સામ્રાજ્ય જોડેનું જોડાણ પાછું ખેંચાવી લેવા માટે ક્રૂગર ઇંગ્લંડ
જવા રવાના થયા. |
૧૮૭૯ | ટ્રાન્સવાલને નિયુક્ત કરેલી કારોબારી કાઉન્સિલ અને વિધાનસભા સાથેનો બ્રિટિશ
તાજના સંસ્થાનનો દરજજો આપવામાં આવ્યો. “પોતાના જ ધ્વજ નીચે સંયુક્ત દક્ષિણ આફ્રિકા”નું નિર્માણ કરવાના ઉદ્દેશથી આફ્રિકન્ડર બોન્ડ સંસ્થા સ્થાપવામાં આવી. |
૧૮૮૦-૧ | ટ્રાન્સવાલની સ્વતંત્રતાની લડાઈ અથવા બોઅરયુદ્ધ. |
૧૮૮૧ | પ્રિટોરિયા કરારે ટ્રાન્સવાલને 'સમ્રાજ્ઞીની સરકારની સાર્વભૌમ સત્તા નીચે સંપૂર્ણ
સ્વતંત્રતાની બાંયધરી આપી. |
૧૮૮૨ | ટ્રાન્સવાલમાં અલગ વસ્તીનું (લોકેશન્સ) કમિશન નીમવામાં આવ્યું. દેશી વસ્તીને લોકેશનોમાં ખસેડવાની વાત માન્ય કરવામાં આવી. પણ એનો અમલ
નહીં થયો. |
૧૮૮૩ | ટ્રાન્સવાલમાંના ચૂંટાયેલા પ્રમુખ, ક્રુગરે, પ્રિટોરિયા કરારમાં સુધારો મંજૂર કરાવવા
માટે લંડનની મુલાકાત લીધી. |
૧૮૮૪ | બ્રિટન અને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક વચ્ચેના લંડન કરારે દેશીઓ સિવાયના
બધાને માટે પ્રજાસત્તાકમાં પ્રવેશ, મુસાફરી અને વસવાટની છૂટ, વેપારની સ્વતંત્રતા |
પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૬
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૫