પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
ગાંધીજીનો અક્ષરદેહ


૨૩. પહેલાંની લેજિસ્લેટિવ કાઉન્સિલના માજી સભ્ય અને હાલના ઍટર્ની જનરલે (માનનીય મિ. એસ્કોમ્બ), કમિશન આગળ પોતાની જુબાની આપતાં કહ્યું (પા. ૧૭૭) :

મુદત પૂરી થઈ હોય એવા હિંદીઓ બાબતમાં, હું નથી માનતો કે કોઈ પણ માણસને માટે દુનિયાના કોઈ પણ ભાગમાં જવાનું ફરજિયાત હોવું જોઈએ, સિવાય કે તેણે દેશનિકાલની સજા થાય એવો કોઈ ગુનો કર્યો હોય; આ પ્રશ્ન વિષે હું ઘણું ઘણું સાંભળું છું, વારંવાર મને આનાથી જુદો અભિપ્રાય બાંધવા માટે કહેવામાં આવ્યું છે, પણ હું તે કરી શકયો નથી.એક માણસને सिद्धांतनी रीते जोतां पोतानी संमतिथी, व्यवहारमां घणी वार पोतानी विना (નાગરી તમારા અરજદારોનું છે) અહીં લાવવામાં આવે છે. તે પોતાના જીવનનાં પાંચ ઉત્તમ વર્ષ આપે છે, તે નવા સંબંધો કેળવે છે અને જૂનાને ભૂલી જાય છે, કદાચ અહીં પોતાનું ઘર પણ માંડે છે. એટલે ખરાખોટાની મારી સમજ મુજબ તેને પાછો મોકલી દઈ શકાય નહીં. તેમની પાસેથી શકય એટલું કામ કઢાવી લઈ તેમને કાઢી મૂકવાનો હુકમ કાઢવા કરતાં એ બહેતર છે કે વધારે હિંદીઓને દાખલ કરવાનું બિલકુલ અટકાવી દેવામાં આવે. એવું દેખાય છે કે સંસ્થાનને અથવા સંસ્થાનના એક વિભાગને હિંદીઓની જરૂર છે. પરંતુ સાથે સાથે તે હિંદીઓનાં દાખલ થવાનાં પરિણામો ટાળવા ઇચ્છે છે. હું જાણું છું ત્યાં સુધી હિંદી લોકો કશું નુકસાન કરતા નથી. કેટલીક બાબતોમાં તેઓ ભારે ફાયદો કરતા હોય છે. જે માણસે પાંચ વર્ષ સુધી સારું વર્તન રાખ્યું હોય તેને દેશની બહાર કાઢવાની વાતને યોગ્ય ઠરાવવા માટેનું એક પણ કારણ મારા સાંભળવામાં કદી આવ્યું નથી. હું નથી માનતો કે કોઈ હિંદીને, તેની પાંચ વર્ષની નોકરી પૂરી થતાં પોલીસની દેખરેખ નીચે મૂકવો જોઈએ, સિવાય કે તે ગુનાહિત કામો કરનારો હોય. યુરોપિયનો કરતાં આરબોને શા માટે વિશેષરૂપે પોલીસની દેખરેખ નીચે મૂકવા જોઈએ એ હું નથી જાણતો. કેટલાક આરબોના દાખલાઓમાં તો આ વસ્તુ તદ્દન હાસ્યાસ્પદ છે. તેઓ ભારે માલમિલકત ધરાવે છે, તેઓ ભારે લાગવગ ધરાવે છે અને જો તેમની સાથે બીજાઓ કરતાં વધારે નફાથી વેપાર થઈ શકે તો તેમનો હમેશાં વેપારમાં ઉપયોગ થાય છે.

૨૪. તમારા અરજદારો એક બાજુથી ઉપરની વાતો તરફ તમારું ધ્યાન ખેંચવાની સાથે સાથે પોતાની એ રીતની દિલગીરી દર્શાવ્યા સિવાય રહી શકતા નથી કે જે ગૃહસ્થ દશ વર્ષ પહેલાં ઉપરના વિચારો દર્શાવ્યા હતા, તે જ આજે પ્રસ્તુત બિલને રજૂ કરનાર ધારાસભ્ય છે.

૨૫. મિ. એચ. બિન્સ કે જેઓ મિ. મેસન સાથે એક સભ્ય તરીકે હિંદી મજૂરોની ફરજિયાત રવાનગી અથવા ફરી કરાર કરી આપવાની વાતને મંજૂર કરવા હિંદી સરકારને સમજાવવા ગયા હતા તેમણે કમિશન આગળ પોતાની જુબાની આપતાં નીચેનો અભિપ્રાય દર્શાવ્યો હતો :

હું માનું છું કે, એવો જે એક વિચાર રજૂ થયો છે કે પોતાની ગિરમીટની મુદત પૂરી થતાં બધા જ હિંદીઓને હિંદ પાછા ફરવાની ફરજ પાડવી જોઈએ, તે હિંદી વસ્તી માટે ભારે અન્યાયભર્યો છે, અને તેને હિંદી સરકારની મંજૂરી કદી મળશે નહીં. મારા અભિપ્રાય પ્રમાણે સ્વતંત્ર હિંદી વસ્તી, કોમ કે સમાજનો સૌથી ઉપયોગી વર્ગ છે. આ હિંદીઓનો એક મોટો સમૂહ, સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેના કરતાં ખૂબ જ