“પિતાજી ! શું કહો છો ?”
“ઓ ભાઇ તું આવ્યો ?”
“હા પિતાજી ! મને તમારા મંદવાડનો કાગળ મળ્યો કે તરત જ નીકળી આવ્યો છું.”
“ઘણું સારું થયું, બસ, મારી પાસે બેસ!” એમ કહીને પોતાની જમણી બાજુએ બેસાડ્યો, ને તેના હાથપર એક ચુંબન કીધું, “ તું જાણે છે કે મારો આ મંદવાડ ઘણો ભારે છે. હવે હું ઉઠવાનો નથી. મારી શીખામણ એટલી જ છે કે તારી મા તો મારા ઘરમાં કદી નહિ શોભે તેવી કમજાત માણસ છે, તમારે તેનું કંઇ પણ સાંભળવું નહિ. મારું એક જ વચન તમારે યાદ રાખવું કે આ તારી નાની ભાભી ગંગા, જે આપણા કુટુંબમાં એક સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે, સંપત્તિ દેવી ને સદ્દગુણની મૂર્તિ છે, આપણા કુટુંબનું ભૂષણ છે, તેની આજ્ઞા પ્રમાણે વર્તવું. એના જેવી વહુ જે કુટુંબમાં હોય તેનું પરમ ભાગ્ય હું માનું છું.”
“પિતાજી તમે બેફિકર રહો. તેમના સદ્દગુણ માટે સૌ કોઇ માન આપશે. હું તેમની આજ્ઞા બેહેન પ્રમાણે માનીશ.”
“એટલામાં તરત જ મોહનચંદ્રનો વહાલો દીકરો ઓરડામાં આવ્યો.
મોહનચંદ્ર મોતના બિછાના પર સૂતા હતા, ને તેમનાં ધણિયાણી, આ ઘણા બારીક ટાંણે પણ પોતાનો કોકટ સ્વભાવ જણાવવામાં પાછાં હટ્યાં નહોતાં, તેવામાં એકદમ એારડામાં કિશેાર ધસ્યો. ઓરડાનું અડધું બારણું બંધ હતું તે ધસારા સાથે ઉઘડી ગયું.
લલિતાના કઠોર અને પાજી સ્વભાવથી કંટાળી, બેઠા થયા પછી ડોસાએ એક હાય મારી નીચી આંખે પોતાનું માથું નમાવ્યું હતું; તેવો જ