પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હેમો

તોરણાં ગામનો બ્રાહ્મણ હતો. સંવત ૧૮૬૪માં હયાત હતો. તેણે કર્મકથા એટલે કેવાં કર્મ કરે તે કેવો અવતાર પામે તે વિષે કવિતા કરેલી છે. તથા પદ, ગરબિયો કરેલી છે. પોતાની મરણતિથિનું પદ તેના નામનું છે. એ ઊપરથી જણાય છે કે સંવત ૧૮૬૪ના કારતક શુદ ૧ શનિવારે પહોર દહાડો ચઢતાં તેણે દેહ મુક્યો.

વળી એણે મરતી વખતે એમ જણાવ્યું કે, દુનિયામાં મેં કોઈ સાથે વૈર બાંધ્યું નથી; સહુ સાથે સંપ સલાહ રાખી છે. અને જે રીતે મેં ઈશ્વરની ભક્તિ કરી એ રીતે મારા કુટુંબી અથવા બીજા કરશે, તો તેઓ પણ મારાભેળાં સ્વર્ગમાં વસશે. મરવાની દીલગીરી તેના મનમાં નહોતી, એટલું પણ તે પદમાંથી જણાય છે.

દોહરો

મોત ન મેલે કોઈને, ખુશી ધરો કે ખેદ;
તો દિલગિર દિલ શિદ થવું, ઉરંમાં ધરો ઉમેદ. ૧


રેવાશંકર

એ કવિ જુનાગઢનો વડનગરો નાગર હતો. અને સંવત ૧૮૭૫માં હયાત હતો. તેણે ચંદ્રાવળાછંદમાં ઘણી કવિતા રચેલી છે; અને તે વખાણવા લાયક છે. સગળા કવિયો કરતાં એની કવિતામાં ઝડ ઝમકની રચના ઘણી જ સારી છે; અને વળી મીઠાશ ભરેલી છે. તેણે સંસ્કૃત શબ્દો હદથી જ્યાદે વાપર્યા છે. શ્રીમદભાગવતના દશમસ્કંદનો સાર, તથા ડાકોરલીલા ચંદ્રાવળાછંદમાં રચેલાં છે, અને છુટક પદ ગરબિયો પણ જુદી જુદી બાબતોની કરેલી છે. એ કવિ પેહેલા વર્ગમાં ગણાય છે. અને તે ગોસ્વામીના મતનો હતો; તેના જન્મચરિત્રની વિશેષ વાત જુનાગઢમાંથી કોઈ મિત્ર લખી મોકલશે તો અમે તેનો મોટો ઉપકાર માનશું. તે ઈતિહાસની એવી રીતનો કે તેનો જન્મ કિયા વર્ષમાં, મરણ કિયા વર્ષમાં, અને તે શો ધંધો કરતો હતો. કવિતાનો અભ્યાસ કેની પાસે તેણે કર્યો હતો. તેણે કાંઈ ઊપર લખ્યાં કરતાં વધારે કવિતા કરી છે કે નહીં તેના ડહાપણની કાંઈ બીજી વાતો ચાલતી હોય તે, તથા તેના વંશમાં હાલ કોણ છે. ઈત્યાદિ.


નિષ્કુળાનંદ

એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. તેણે ભક્તચિંતામણી નામનો ગ્રંથ સંવત ૧૮૭૭માં કાઠીયાવાડ પ્રાંતના ગઢડામાં રહીને તેણે પુરો કરેલો છે. એ ગ્રંથ તુલસીદાસની રામકથા જેવડો છે. તેમાં ઘણું કરીને ત્રણતાળની ચોપાઈએ અને પૂર્વ છાયા છે. તેની કલ્પનાશક્તિ સારી જણાય છે. પણ તેણે પિંગળનો અભ્યાસ કરેલો જણાતો નથી.

જમદંડ નામનો ગ્રંથ, વચનવિધિ, પુરૂષોતમપ્રકાશ, ભક્તનિધિ, હરિસ્મૃતિ, અરજી