પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૭ ]


આહ જુદાઈની સનમ ! કે'વી તું સંગદિલથી શું?
છું તંગ-દુશ્મની બધે,-દિલ બેઈમાન દે ન દે.

જુદાઈ કોઈ કાલની બતાવે ખ્વાબ ખૂબ-ખૂબ,
આવી સનમ ! જગાડી તું, ઈશ્ક પાયમાન દે ન દે!

થાક ફરી ફરી બધે તમારી હું તલાશમાં,
ચાક દિલ કર્યું તે સનમ ભેટ-ભાન દે ન દે!

ચાક દિલ બેહાલ આ મણિ તું આયના વિષે,
અહા ! સનમ ! હવે ભલા દિલમાં મકાન દે ન દે !


ગોવર્ધનરામ

૧૯ : સરસ્વતીચંદ્રનો ત્યાગ


દીધાં છોડી પિતામાતા, તજી વહાલી ગુણી દારા,
ગણ્યા ના મર્મ ભેદાતા, લીધે સંન્યાસ એ, ભ્રાતા !

પિતા કાજે તજી વહાલી, ન માની વાત મેં તારી,
ગણ્યા ના ગાઢ નિઃશ્વાસો, લીધો સંન્યાસ એ, ભ્રાતા !

થયો દારુણ મન માન્યો, વિફળ થઈ સ્નેહની સામે,
હવે સુકુમાર ઉર ફાટી જતું જોવું રહ્યું બાકી.

રુએ તે દેવી રેવા રે ! અધિકારી ન લહોવાને
પ્રિયાનાં આંસુ-હું ભાઈ ! ન એ રહેવાય જોવાઈ.

અહો ઉદાર વહાલી રે ! ટકાવી દેહ રાખી રે !
ન ભુલાતું તું ભૂલી દે, વિધિનું ધાર્યું વેઠી લે.

અહો ઉદાર વહાલી રે ! સતી તું શુદ્ધ શાણી રે !
છૂટે ના તે નિભાવી લે. પડ્યું પાનું સુધારી લે !