પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંભાત પર
113
 

મજાલ નહોતી રહી.

સદીક શેઠને કાને રોજેરોજ ધોળકાનાં નવા નવા માણસો આવીને એક જ વાત નાખી જતા, કે વસ્તુપાલ તો બાપડો બે બાયડીઓ સાથેના વિલાસમાં અને કવિતાસાહિત્યમાં જ ગરકાવ છે. અને પોતાને ખંભાતના જૈન પુસ્તક ભંડારો જોવા આવવું છે પણ બાયડીઓ ચુડેલ જેવી વળગી છે, બહાર નીકળવા દેતી નથી. દિવસે દિવસે આવી બાતમીઓએ સદીક શેઠને નચિંત અને ગાફેલ બનાવ્યા.

એ જ હેરકોએ એક પછી એક પાછા આવીને વસ્તુપાલને ખબર દીધા કે જરા અડકતાં જ નીચે પડે તેવા પાકેલા ફળની સ્થિતિમાં ખંભાત હવે આવી ગયું.

રાણા વીરધવલ છેલ્લા ત્રણ મહિનાથી તો વસ્તુપાલ પર ફૂંગરાઈને બેઠા હતા. એની પાસે વસ્તુપાલ છેલ્લા છએક મહિનાથી તો મોં બતાવવા પણ આવ્યો નહોતો. મંત્રી નપાવટ હતો, વિલાસી હતો, ચોપડીઓનો જ કીડો હતો. એવી એની માન્યતા બંધાતી હતી.

એવામાં એક દિવસ વસ્તુપાલે આવીને વાત કરી કે “બાપુ, ત્યારે હું ખંભાત આંટો મારી આવું છું”

“હજી આંટો મારવાની જ વાત કરો છો, મંત્રી?" રાણાને ચીડ ચડી.

“ત્યાં જઈને તેલ જોઉં, તેલની ધાર જોઉં, પછી આપને તેડાવું.”

“ના, હું સાથે જ ચાલું. લશ્કર ઘણું જમાં કરી નાખ્યું છે.”

"તે કાંઈ લશ્કરને કપાવી નાખવા જમા કર્યું છે? આપની ભુજાઓ કળતી હોય તો રોજ થોડાં દંડબેઠક કરતા જાઓ.”

“તું મશ્કરી કરે છે, પણ જેતલ રોજ મારો જીવ ખાય છે ને મને ન કહેવાનાં વેણ કહે છે.” રાણા અર્ધદુભાતા ને અર્ધહસતા બોલી ઊઠ્યા.

જેતલબા ભલે થોડા દિવસ જીવ ખાઈ લે, હું કહી દઉં છું આપને, કે મને મારી રીતે કામ લેવા દેવું પડશે. મારે કાંઈ ધોળકાનો રાણો વધારાનો નથી." મંત્રીએ મક્કમ બનીને જવાબ વાળ્યો.

"કેટલું સૈન્ય લઈને જાય છે” બસો પેદલ ને પચાસ અશ્વારોહી.”

"બસ? એટલે શું તું ત્યાં જાત્રા કરવા જાય છે?"

“ના, સદીક શેઠની મહેમાની માણવા ! આપ વિચાર તો કરો, કે ખંભાતમાં કોની સેના પડી છે, કે મારે યુદ્ધમાં ઊતરવું પડશે?”

"પ્રજા બંડ કરશે નહીં? યવનો ને પારસીકો એને પક્ષે છે તેનું શું!”