પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘હિન્દ સ્વરાજ’ના હિન્દી અનુવાદ ઉપર મહાત્માજીએ લખેલી પ્રસ્તાવનામાં નીચેના મીલ સંબંધી. ઉલ્લેખ તેમણે કર્યો છે:

‘આ પુસ્તક મે ૧૯૦૮ ની સાલમાં લખ્યું હતું. બાર વર્ષના અનુભવ પછી પણ મારા ખ્યાલ હતા તેવા ને તેવા જ રહ્યા છે. મારી ઉમેદ છે કે વાચકવર્ગ મારા આ ખ્યાલના પ્રયોગ કરીને તેની સિદ્ધતા- અસિદ્ધતાનો નિશ્ચય કરી લેશે.

મીલોના સંબંધમાં મારા વિચારોમાં આટલું પરિવર્તન થયેલું છે કે હિન્દુસ્તાનની ચાલુ હાલતમાં માન્ચેસ્ટરના કાપડ કરતાં હિન્દની મીલોને ઉત્તેજન આપીને પણ આપણું કાપડ આપણા જ દેશમાં પેદા કરી લેવું જોઈએ.’

(સં. ૧૭૭)
 

૨૧૬