પૃષ્ઠ:Hind Swaraj.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

માણસો ગણતા આવ્યા છીએ, તેમની ઉપર પણ હુમલો કરો છો.

अधिपति :

હા, એ ખરું છું, મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી તેથી પ્રમાણિક ભલે ગણાય. પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારુ ઈલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રમાણિકપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.

वाचक :

આમ તમારા વિચાર છે ત્યારે તો અંગ્રેજ લોકો કે જેને નામે પાર્લમેન્ટ રાજ્ય કરે છે તેને વિશે પણ કંઈક કહો, એટલે તેઓના સ્વરાજ્યનો પૂરો ખ્યાલ આવે.

૩૭