પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૦
જયા-જયન્ત
 


એ જ ઉદ્ધાર, એ જ જીવન્મુક્તિ.
જય હો બ્રહ્મજ્યોતિનો !


ચાર ભસ્મના ઢગલા તેજસ્તંભ થાય છે. બ્રહ્મલોકમાંથી તેજનાં ધનુષ્યબાણ ઉતરે છે, અને જયન્તના હૈયામાં સમાઈ જાય છે. વદન ફરતું પ્રભાચક્ર પ્રગટે છે.


આકાશવાણી:બાણ નહીં જીતે ચાપ વિના;

પંખી છે એકપંખાળું અપંગ.


જયન્ત :: ' એક પંખાળું ! અપંગ ? '

વિચારમાં ડૂબે છે.
ચાપવ્હોણું જાણે બાણ !
થોડીક વારે
હા, સ્‍હમજાઈ એ ભેદવાણી.
જ્યા ! મ્હારી બીજી પાંખ !
પ્રગટ, ને પ્રત્યક્ષ થા.
એકાકી તો ભાસ્કરે અધૂરો છે;
ચન્દ્રસૂરજની બેલડી જ