આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૩
જયા-જયન્ત
- સંસારનો યજ્ઞ માતતાતે,
- ત્ય્હાંથી આદરી પૂરો કરે તે.
- આજ આપણા જીવનયજ્ઞની પૂર્ણાહુતિ.
- પુત્રે દીધાં પુણ્ય જીવનનાં તર્પણ,
- ને જગદુદ્વારની શ્રદ્ધાંજલી.
પિતા : એથી જ આપણી મોક્ષતિથિ.
માતા : પુત્રનું મુખ નિરખ્યું
- ત્ય્હારે જ નિરખ્યા હતા દેવ ત્ય્હાં.
પિતા : પૂજી લ્યો ત્ય્હારે પુત્રને.
- પુત્રપૂજા એટલે પ્રગતિની પૂજા.
- આશીર્વાદ દ્યો પુત્રધનના સૌને
- કામવિજય તો યોગજીવનનો પાયો છે
પિતા-માતા : સંસારીઓ ! એવાં સન્તાન પામજો કે
- માતા પિતાનાં અધૂરાં મૂકેલાં
- આરંભી પૂરાં કરે.
(ફરી પુષ્પવૃષ્ટિ કરે છે. જયા આળસ મરડી ઉઠે છે, ને જયન્તને નિરખી ઓળખે છે.)
જયા : કોણ ! જનમનો જોગી જયન્ત ? (જયન્તને માથે જયનો ક્યોત મુગટા પ્રગટે છે. તે નિહાળી આનન્દતા પિતૃલોકવાસીઓ બ્રહમલોકમાં સિધાવે છે.)