પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
જયા-જયન્ત
 



પ્રવેશ બીજો

સ્થલકાલ: કાશીવિશ્વેશ્વરનો રાજમાર્ગ




તીર્થગોર : જન્મારો તીર્થમાં ગાળ્યો,

પણ આજ જાણ્યું તીર્થ એટલે શું.
પગ મૂકતાં જ રૂઝાય છે
પગમાંના ઊંડા ઊંડા ઘાવ.
નથી ઓછાં વીતાડ્યાં
મ્હારે ય માથે સાધુઓએ.
ચાર દિનમાં તો ચાર ભવ થયા.
ગોખરૂની શય્યામાં સૂવાડ્યો,
ઝાડથી ઉંધે મસ્તકે લટકાવ્યો,
ચિતાની જ્વાલા સોંસરો ચલાવ્યો,
તપ્તલોહની સ્ત્રીમૂર્તિઓને ભેટાડ્યો;
સર્પની કાંચળીની પેઠે
ઉતારી આખી યે મ્હારી ખોળ.
મ્હેં યે મણા ન્હોતી રાખી.
રાવણે તો એક સીતા હરી હતી.
હરિ ! હરિ ! પ્રભો ! પ્રભો !