આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫
જયા-જયન્ત
- કેટલી યાત્રા કરશે માનવ યાત્રાળુ
- પાપના મ્હોટા પોટલા ઉપાડી ઉપાડીને ?
- પણ હાશ ! શીળી શીળી લાગે છે
- આ મુક્તિપુરીની ધરતી યે.
- સાધુઓનાં લોચનમાંથી તો
- અમૃતના વરસાદ વરસે છે.
- ગંગામાં નાહ્યો, દેહ ધોવાયો;
- ધોવાશે એવો મ્હારો આત્મા ?
- રાવણ તો જીવતો છે જગતમાં.
- હરિકુંજની સત્સંગગંગામાં ન્હાઇશ,
- એટલે ધોવાશે મ્હારો પાપાત્મા યે.
- શયતાનના દેવ બને છે ત્ય્હાં.
રાજરાણી: ભવ-ભવસાગરમાં ડોલે હો ! માનવનાવ.
- જો ! પૂર ઘૂમે,
- તોફાન ઝઝૂમે;
- કાલના તરંગે હો ! કરે આવજાવ,
- માનવનાવ.
- મહાસાગરમાં ડોલે હો ! માનવનાવ.
- રાજેન્દ્ર ! વાદળ ક્ય્હારે વિખરાશે ?
- તોફાન ક્ય્હારે ઉતરશે ?