પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭
જયા-જયન્ત
 


જયન્ત : ને જો ! ગંગાને સ્હામે તીરે

પેલાં બ્રહ્મવનનાં ઝુંડ.
સુન્દરીઓમાં સાધુતા જન્માવ,
રસીલીઓમાં પુણ્યાચાર પાંગરાવ;
પતિઓની કામઠી મથું છું ઘડવા;
તું વીણાઓ ઘડ પત્નીઓની.
આપણે ન ગાયા તે
ગવરાવો એમ સંસારનાં બ્રહ્મસંગીત.

જયા : પાપની લાલચોથી ન લોભાય,

મોહ ને સ્નેહના ભેદ પાળે,
કામ ને રસાનન્દને ભિન્ન પરમાણે,
તો માનવદેશની સર્વ સુન્દરીઓ
બ્રહ્મચારિણીઓ જ છે અખંડવ્રતિની.

જયન્ત : આપ એમને અમૃતલક્ષ્મી,

કે આત્માનું મૃત્યુ આવે જ નહીં.

જયા : પણ જયન્ત ! પાસે પાસે નથી

હરિકુંજ અને બ્રહ્મવન ?
આપણે યે આત્માના ભરોંસા કેટલાક ?

જયન્ત : આત્મશ્રદ્ધા ઉજ્જવળ રહે

ત્ય્હાં સૂધીના જ આ આશ્રમ.
અન્ધકારનો ઓળો ઉંગે કે તરત
તું સંચરજે દેવધામ હિમાદ્રિમાં,