પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૫
જયા-જયન્ત
 


પ્રજાજન : ધન્ય જન્મ ! ધન્ય જીવન !

બ્રહ્મર્ષિ : આયાવર્ત જ છે આદર્શ આજ

નવખંડવાસી આર્યકુટુંબનું;
ને જ્ઞાન ને ધર્મનગરીનો યુવરાજ
તે સકળ વિશ્વનો યુવરાજ.
તારલિયાના તેજઅક્ષરે આલેખાયેલાં
નામાભિધાન અનેક વંચાય છે,
પણ લોકવ્રત નામ
પૂજ્ય થશે પૃથ્વીવાસીઓમાં.

પ્રજાજન : જય ! યુવરાજનો જય !

આર્યકુટુંબના યુવરાજનો જય !

વેદશાસ્ત્રી : હો દેહ આ ચાર પદાર્થદાતા;

હો આત્મદેહે-પરમાત્મશાતા
હો પુણ્યદેહે શુચિ પુણ્યદીવો,
યશશ્શરીરે ચિરકાલ જીવો !
शतं जीव शरदो वर्धमान:;યુવરાજ !

બ્રહ્મર્ષિ : રાજરાજેન્દ્ર ને રાજમહીષિ !

સ્વર્ગગંગા છે યુવરાજના લલાટમાં;
સાગરવેષ્ટિત જંબુદ્વીપનો
ચક્રવર્તી રાજવી થશે.
સૂર્યલાંછન છે જમણા હાથમાં;