પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮
જયા-જયન્ત
 


ને પ્રત્યેક મોજામાં મૃત્યુ છે.
વાદળને કાંઠડે જો ! પેલી વાદળી:
આવરશે ઉડતી ઉડતી એ,
ને આવરશે ચન્દ્રપ્રભાને.

જયા: મૃત્યુ દેહને મારે છે,

પુણ્યને મારતું નથી.
પુણ્ય તો અમ્મર છે અવનીમાં.
એક શરદ પૂર્ણિમાએ
-યાદ છે ને ? જયન્ત !-
ચન્દ્રનું ખગ્રાસ ગ્રહણ
જોયું હતું આપણે ગંગોત્રીએ.
પણ તેથી કાંઇ
ચન્દ્રનો અમૃતથાળ ફૂટ્યો નહીં.

જયન્ત: ખરૂં, જયા ! ખરૂં છે.

સૂર્ય ને ચન્દ્ર સમા
પુણ્યના પાયા યે અમ્મર છે.
સત્ નામ સાહેબનું:
સત્ નાશ પામતું જ નથી.
વાવ ત્ય્હારે, જયા !
ઓ અનન્ત કાલની જોગણ !
ત્‍હારાં પુણ્યનાં વાવેતર:
પૃથ્વી ભરી ભરી વાવ
ઇક્ષુના અમૃતભંડાર.