પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
જયા-જયન્ત
 


જયા : તો લે, આવાહન ગાઉં

આમન્ત્રું છું એ અમરોને.
એ નહીં તો તું સાંભળ.
હૈયાંને સરોવર આવો,

ઓ રાજહંસ ! હૈયાને સરોવર આવો.

રાજહંસોને આવાહનનું ગીત ગાતાં ગાતાં સરોવરતટનાં વનમાં બન્ને ફરે છે.