પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
જયા-જયન્ત
 


કે ખોલે ઘટના ઘુંઘટ પછી.
(મદિરા લેવા જાય છે.)

આચાર્ય : કુમારી ! આપણે એકલાં જ છીએ.

આપશો રસની ભિક્ષા ?
ભરેલા ભંડાર છતાં નકારશો ?
આવો, યૌવનને ઉજવિયે.

જયા : કોઇ નથી ત્ય્હાં યે પ્રભુ છે.

ગિરિદેશનાં સન્તાન પાપ સ્‍હમજતાં નથી.
જો પડશે ગેબનું વજ્રબાણ,
ને વીંધશે હલાહલ ભર્યું હૈયું ત્‍હારૂં.
(આચાર્ય અડપલું કરવા જાય છે. એક બાણ આવી વીંધે છે તેનું હૈયું. દેવી સુરા લઇને આવે છે; પારધી પ્રત્યક્ષ થાય છે.)

આચાર્ય : આવ્યું, આવ્યું યમનું બાણ.

માર્યો મ્હને, કુમારી !
પણ વામમાર્ગ નહીં મરે.
મનમાંના શયતાનને મારશો,
તો જ મરશે પાપપન્થ.
ત્ય્હાં સૂધી અનેક રૂપે અવતરશે એ
ભવિષ્યની ભૂમિઓને યે ભરી ભરી.