આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
જયા-જયન્ત
- કે ખોલે ઘટના ઘુંઘટ પછી.
આચાર્ય : કુમારી ! આપણે એકલાં જ છીએ.
- આપશો રસની ભિક્ષા ?
- ભરેલા ભંડાર છતાં નકારશો ?
- આવો, યૌવનને ઉજવિયે.
જયા : કોઇ નથી ત્ય્હાં યે પ્રભુ છે.
- ગિરિદેશનાં સન્તાન પાપ સ્હમજતાં નથી.
- જો પડશે ગેબનું વજ્રબાણ,
- ને વીંધશે હલાહલ ભર્યું હૈયું ત્હારૂં.
આચાર્ય : આવ્યું, આવ્યું યમનું બાણ.
- માર્યો મ્હને, કુમારી !
- પણ વામમાર્ગ નહીં મરે.
- મનમાંના શયતાનને મારશો,
- તો જ મરશે પાપપન્થ.
- ત્ય્હાં સૂધી અનેક રૂપે અવતરશે એ
- ભવિષ્યની ભૂમિઓને યે ભરી ભરી.