આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
જયા-જયન્ત
- એ જ અમૃતનાં કરકિરણો.
- ચન્દ્રની જ્યોત્સનાધારાઓ
- મીંચ્યે નયને યે ઓળખાય.
- રાજેન્દ્ર ! વિસર્યા તો નથી હજી.
કાશીરાજ : આત્માના પટ ઉપર
- અંકાયા છે એ અક્ષરો તો.
- ક્ય્હાં શીખ્યાં, સૌન્દર્યરાણી !
- એવું અદ્ભૂત-અદ્ભૂત આલેખતાં ?
શેવતી : તે દિવસે ઝૂલે ઝૂલાવતાં
- નયનકિરણે ઉઘાડ્યાં સ્નેહલોક ત્હમે,
- ને પઢાવી પ્રેમગીતા.
- એ શું ભૂલ્યા ? રાજવી !