પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
જયા-જયન્ત
 


(શેવતીનાં બન્ને નયન કાશીરાજ પાછળથી ચાંપે છે.)
એ જ અમૃતનાં કરકિરણો.
ચન્દ્રની જ્યોત્સનાધારાઓ
મીંચ્યે નયને યે ઓળખાય.
(શેવતી કાશીરાજને હૈયે વિસામો લે છે.)
રાજેન્દ્ર ! વિસર્યા તો નથી હજી.

કાશીરાજ : આત્માના પટ ઉપર

અંકાયા છે એ અક્ષરો તો.
ક્ય્હાં શીખ્યાં, સૌન્દર્યરાણી !
એવું અદ્‍ભૂત-અદ્‍ભૂત આલેખતાં ?

શેવતી : તે દિવસે ઝૂલે ઝૂલાવતાં

નયનકિરણે ઉઘાડ્યાં સ્નેહલોક ત્‍હમે,
ને પઢાવી પ્રેમગીતા.
એ શું ભૂલ્યા ? રાજવી !