પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
કલ્યાણિકા
 


સંસારે સ્થિર સુખ કોઈ નથી,
મન વ્યર્થ ભમે સુખ કાજ મથી;
પડી પુણ્યે ઉરસુખની પગથી :
જીવ સોદાગર !○

ઝળહળતું તેજ દિગંત લસે,
પાસે પળતાં દૂર દૂર ખસે,
પણ પુણ્ય સદા કરવેંત વસે:
જીવ સોદાગર !○

ઊંડી ખાણે છે રત્નભર્યા :
ગમશે માટી કે રત્ન નર્યાં ?
હાથે તે સાથે અદ્દલ ઠર્યાં :
જીવ સોદાગર !○