પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલહત્યા :૧૨૩
 

ક્રરતાં વધારે સારું મરતાં આવડે છે કે નહિ !'

બાઈ પાસે ઝેર હશે? સહુ વિચારમાં પડ્યા. ન્યાયાધીશ પુસ્તકનાં પાનાં ઊથલાવવા લાગ્યા. બંને પક્ષના વકીલો બેસી ગયા. ભેગી થયેલી મેદનીમાં વાતની ચણભણ ચાલી, એકાએક પેલી સ્ત્રી બોલી ઊઠી : 'અને સાહેબ ! મને ફાંસીની સજા નહિ કરો તો હું હજી બીજાં બે ખૂન કરવાની છું. એની પણ આપ નોંધ લો.'

'એટલે ?'

'મારા ઉપર અત્યાચાર કરનાર સર્વને મેં રહેંસી નાખ્યા છે, છતાં હજી એક બાકી રહ્યો છે. સજા નહિ કરો અગર મને જીવતી રાખશો તો હું એને જહન્નમમાંથી શોધી લાવી ઝબ્બે કરીશ.'

'અને બીજું કોણ? જેનું ખૂન કરવા તમે ધારો છો તે ?'

'બીજું ખૂન મારું. પછી મારે શયતાનિસ્તાન કે કાયરસ્તાનમાં જીવવું નથી. એમાં જીવજો તમે પુરુષો !'

તિરસ્કારના તણખા ઉડાડતી એ આંખ સામે થોડી ક્ષણો સુધી કાઈ જઈ શકયું નહિ.

અને હજી બેચાર મુદત પડ્યા છતાં કામનો ફેંસલો આવ્યો નથી.