રાજા: તારા જેવી વાત કોણ સાંખી શકે ?
દરિદ્ર: જેનો જીવ ફર્યો નહીં હોય તે.
રાજા: તું જુઠો પડે તો શેની હોડ વદે છે ?
દરિદ્ર: તમે કહો એટલી હોડ વદું.
રાજા: વારૂં ઠીક છે.
દરિદ્ર: વળી તમે હારશો તો તમારે પણ એવું જ ભોગવવું પડશે.
રાજા: અરે ભાઈચંદ હારે તેને વીશવાર મરવું ઠરાવશું.
ભાઈ૦: એને તો વીશ વાર મરવું તે ઠીક છે પણ ઠાકોર આપણ બંને જણ વચે બે વાર મરવું તે જ ઘણું છે.
દાજી: ઠાકોર આ સમે તમારૂં પરાક્રમ દેખાડવું પડશે, કેમકે હું તો તમારા બોલાવવાથી આવ્યો છું.
રાજા: હું જાણું છું કે એમ તો સૌ જાણતા હશે જે સારા લોકો દેવાદાર મટે, ભ્રષ્ટ લોકો હેરાન થાય ત્યારે ઠીક, માટે તેનો વિચાર કરીને અમે એક ઉપાય શોધી કહાડ્યો છે તે એવો છે કે તે કર્યાથી મોટો લાભ થાય તથા આબરૂ વધે તે એવી રીતે કે હાલ લક્ષ્મી આંધળી છે તેથી હેવાનની રીતે જ્યાં ત્યાં ફરતી હીંડે છે, પણ તે દેખતી થાય ત્યારે અમો જેવા તેવાની સોબત નહીં કરે સારા લોકની સોબતમાં જ રહેશે, વળી તેથી પછી લોકો પણ સૌ સારા થશે. લક્ષ્મીની આશાથી પરમેશ્વરની મરજાદામાં પણ રહેશે હવે. એથી જગતનો ઉપકાર થવાનો બીજો સારો વિચાર કિયો છે ! તે કહો.
ભાઈ૦: નથી. હું કહું છું પણ તેને શું કરવા પુછો છો ?
દરિદ્ર: અરે મૂર્ખ પાજી માણસો એવો ઊંધો વિચાર શો કરો છો તેમાં તમારૂં કાંઈ સારૂં થવાનું નથી જુઓ જ્યારે સૌને ઘેર લક્ષ્મી સરખી રહેશે ત્યારે પછી વિદ્યા કોણ ભણશે પોત પોતાનો કીસબ કોણ કરશે અને એમ થશે ત્યારે લુવારનાં કામ, દરજી, મોચી, કુંભાર, ચમાર તેઓનાં કામ કોણ કરશે, ખેતરમાં હળ હાંકવા કોણ જશે અને પછી અનાજ વિના આપણા હિંદુલોકો સર્વે શું ખાશે ?
રાજા: અરે તું કાંઈ સમજતો નથી. એ કામ સર્વે અમારા ચાકર લોકો કરશે.
દરિદ્ર: પણ ચાકર ક્યાંથી મળશે ?
રાજા: પૈશાથી ઘણાય મલશે.
દરિદ્ર: પૈશા વડે રહેનાર કોન મળશે પૈશાવાળા સૌ હશે ત્યારે ?
રાજા: પરદેશથી સિંધી લોકો વેચાતા મંગાવીશું તે કામ કરશે.
દરિદ્ર: તે પરદેશમાં મોત આગમીને લેવા સારૂં કોણ જશે ? પણ બીજું કાંઈ