પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૭૮ ]

: ૧૨ :

૭મી ડીસેંબર : શુક્રવાર

જાવાની લડાઈમાં એ ભાગ લઈ રહેલા ત્યાંથી તેડાવાયેલા ફરિયાદપક્ષના છેલ્લા સાક્ષી લે૦ કર્નલ કિટસને કૅ૦ સેહગલ અને તેમના માણસોની શરણાગતિવાળો બનાવ વર્ણવ્યો. એમણે જણાવ્યું કે–

'૧૯૪૫ના એપ્રિલમાં મારી ટૂકડી ઇરાવદી નદીને ડાબે કાંઠે આગળ વધી રહી હતી. મેગીગામ નજીક અમે પહોંચ્યા ત્યારે અમારી આગલી કંપનીના કમાન્ડર કૅ૦ સેહગલ અને આ૦ હિં૦ ફો૦ના સોએક માણસોને મારી પાસે લઈ આવ્યા. બ્રિટિશ દળોના કમાન્ડરને ઉદ્દેશીને લખાયેલી યુદ્ધકેદીઓ તરીકેની શરણાગતિની એક ચિઠ્ઠી એ કમાન્ડરે મને આપી. એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ૦ હિં૦ ફો૦ના ત્રીસેય અફસરો અને પાંચસોએક સિપાહીઓ બ્રિટિશ દળોને શરણે આવવા માગતા હતા. એ ચિઠ્ઠી મેં સાચવી નથી. બેએક મહિના પછી મેં એનો નાશ કરેલો. પાછળથી મેં કૅ. સેહગલ સાથે વાત કરી અને એમણે મને કહ્યું કે આ૦ હિં૦ ફો૦ની એક રેજિમેન્ટના એ આગેવાન હતા.

તે પછી મેં કૅ. સેહગલને કેટલાક પ્રશ્નો પૂછેલા. આ૦ હિં૦ ફો૦ માં એ શા માટે જોડાયા એમ મેં પૂછેલું, પણ એ વિષયની ચર્ચા કરવાની કૅ. સેહગલની ઇચ્છા નહોતી. કૅ. સેહગલે કહેલું કે બ્રિટિશ અફસરોમાંના બે-ત્રણ એમના ખાસ મિત્ર હતા. એમણે એમ પણ કહેલું કે હિંદમાં બ્રિટિશ શાહીવાદની હયાતી એમને નાપસંદ છે. કૅ. સહગલે મને એમ કહ્યું હતું કે પોતે જેને સાચું માન્યું તેને માટે એ લડેલા; અને હવે એ હારી ગયા એટલે એનાં પરિણામ ભોગવવા તૈયાર હતા.'