પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ઓગણીસમું
મારી આંખનાં રતન

દિવસો સુધી આવાં અનુમાનો થતાં રહ્યાં, અર્થઘટાવ થતા રહ્યા, છતાં રઘાની આત્મહત્યાની આસપાસ ઘેરાઈ રહેલો ભેદ તો એવો ને એવો ઘેરો જ રહ્યો, એટલું નહિ, એ ભેદી ઘટનામાં વધારે ભેદ ઉમેરાતો રહ્યો.

બન્યું એવું કે અમથીના આગમન પછી થોડા જ દિવસમાં ભૂતેશ્વરની ધરમશાળામાં બહુરૂપીઓએ ઉતારો કર્યો. આમ તો હરસાલ ગુંદાસરમાં લણણી થઈ જાય ને ખળાં ભરાય ત્યારે બહુરૂપીઓ આવતા; આઠદસ દિવસ ધરમશાળામાં પડ્યાપાથર્યા રહેતા; રોજેરોજ નવા નવા વેશ કાઢીને ગામમાં ઘેરઘેર ફરતા અને લોકોનું મનોરંજન કરીને ખળાવાડમાંથી ‘કળ’ દીઠ અધમણ અધમણ અનાજ ઉઘરાવી પછી બીજે ગામ પડાવ નાખતા. પણ આ સાલ તો દુકાળિયા વરસમાં બહુરૂપી આવ્યા, તેથી લોકોને નવાઈ લાગી.

એક તો દુકાળ વરસમાં બહુરૂપી આવ્યા, ને રાબેતા પ્રમાણે બે આદમી આવવા જોઈએ એને બદલે ત્રણ આવ્યા. દુકાળમાં અધિક માસ જેવા ત્રણ યાચકો આવ્યા છે એ તો ઠીક, પણ પાછા કમોસમે આવ્યા. નપાણિયા વરસમાં ખેતર ખાલીખમ પડ્યાં હતાં અને લલણી થવાની કે ખળાં ભરાવાની કોઈ શક્યતા જ નહોતી ત્યારે માઠે વરસે આ વેશધારીઓ આવ્યા તેથી લોકોના અચંબાની અવધિ આવી રહી.

અચંબા જોડે થોડી શંકાકુશંકા તો ત્યારે ઊપજી, જ્યારે એ