લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનતો નથી તે મરી જઈશ?
૩૧
 

ગામ બહાર તળાવ હતું. મા રોજ કહે: “રોયા ! ત્યાં જઇશ મા. જોજે, મારું કહ્યું ન કર્યું તો તારી કાકી ખાઈ જવી છે ! ત્યાં મોટી મગર રહે છે.”

પણ છોકરો ક્યાં બીએ એવો હતો ? એ તો કહેતો :“ચાલ ને, જોઉં તો ખરો કે મગર કાકી કેવી છે !”

છેાકરો કહેઃ “મા ! પાણી પા ને?”

“ઊભો રહે; ધાડ શી આવી છે?”

“મા! પાણી આપ ને?”

“લઈ લે ને; તારા હાથપગ ભાંગી ગયા છે?”

છોકરો કહે: “ત્યારે હું તો મારે આ ચાલ્યો. તળાવે જઈને પાણી પીશ.”

છોકરો ચાલી નીકળ્યો.

મા કહે : “એ રોયા ! પાછો વળ, પાછો વળ! આ મારું કહેવું નથી માનતો તે મરી જવો છે.”

છોકરાને તો મગર જોવી હતી. કાંઠે જઈને પાણી પીવા જાય ત્યાં તો મગરે બહાર નીકળીને એનો પગ પકડ્યો. છોકરાના શા ભાર ? મગર તો છોકરાને ગળી ગઈ.

મા તો દૂરથી જોઈ રહી. પણ મગર રહે ત્યાં જાય શી રીતે ?

એ તો રોવા ને કકળવા લાગી. આડોશીપાડોથી ભેગાં થયાં. બધાં કહે : “ના નો’તી પાડવી ? ત્યાં શું દાટ્યું હતું તે જવા દીધો?”