લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકો બીકણ કેમ થાય છે ?
૬૩
 

છોકરાઓ રાતે રમવા નીકળે છે. મોટાં મા કહે છે: “એલા છેાકરા ! પેલા પીપળા હેઠે જશો મા; ત્યાં તો ભૂત થાય છે. ભરખી જશે.”

છોકરાને બાપે માર્યો છે. તે રડે છે એટલે ફઈ કહે છે: “એલા મોઢું ફાડીને રડે છે તે વીંછી આવીને મોઢામાં ફટકાવશે, હો કે ?”

વરસાદ આવ્યો ને છોકરો નાહવા દોડ્યો. મોટીબહેન કહે છે: “બાપાને આવવા દે, તારાં હાડકાં ભંગાવું!”

નાના કાકા કહે છે: “એ રમુડા | પાઠ કરવા બેસ, નહિતર માસ્તરનો માર ખવરાવીશ.”

મોટા બાપા કહે છે: “એલા કૂવા પાસે જશો તો મરી જ જશો !”

હરખા ભાભા કહે છે : “એલા કૂતરાને રમાડો છો ? બચકું ભરશે હો કે ?”

માબાપ કહે છે: “ખોટું બોલીશ તો નરકમાં પડીશ ને કોઢ નીકળશે.”

બા કહે છે : “રાંધતાં રાધતાં ખાઈએ તો આવતા ભવમાં વડવાંગળી થઇએ.”

દાદા કહે છે : “એલા હનુમાનને પગે ન લાગીએ તો હનુમાન કોપે ના ? ”

બાપા કહે છે : “એલા ગાંધીજીકી જે ન બોલાય. વંદે માતરમ્‌ બોલીએ તો સરકાર જેલમાં નાખે!”

કેટલીયે જાતની બીકો: બાવાની બીક, ભૂતપલીતની બીક, વાઘવરુની બીક, સિપાઈ-શિક્ષકની બીક, સરકારની બીક :