પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમંતોને

હું આ લેખ ખાસ કરીને શ્રીમંતો માટે લખું છું. છતાં એનો અર્થ એવો નથી કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના માણસો આનો લાભ ન જ લઈ શકે. આ લેખ શ્રીમંતોને માટે એટલા માટે છે કે આમાં કરેલી સૂચનાઓનો મોટે ભાગે શ્રીમંતોથી જ અમલ થઈ શકે તેવું છે.

અત્યારે આપણા દેશમાં એવી પરિસ્થિતિ છે કે શ્રીમંતો પોતાનાં નાનાં બાળકોને આયા, નોકર, કમ્પેનિયન કે શિક્ષકની સંભાળ નીચે મૂકી દઈ પોતાની ફરજ અદા કરતાં હોય એમ માને છે. આયા, નોકર વગેરે પોતાને સોંપાયેલ બાળકોને શેઠે વસાવેલા સુંદર આવાસમાં આલમારી પર મુકાયેલાં સુંદર અને કીમતી રમકડાં બતાવવામાં, બાળકને ગમે તે રીતે પ્રસન્ન રાખવામાં, બાળકને પોતે સ્વીકારેલી નીતિ રીતિ વગેરેમાં બરાબર તૈયાર કરવામાં અને શેઠની પાસે શેઠનાં બાળકોને સુંદર પૂતળાં જેવાં કરી બતાવવામાં પોતાની નોકરી બજાવતાં હોય તેમ સમજે છે.

માતાપિતાઓ કમાણીની કે એશઆરામની પ્રવૃત્તિમાં