પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઇતિહાસની એ કરૂણ ઘટનાને આજે તો હવે પૂરા બે દાયકા વીતવા આવ્યા; ને પાછળ પૂ. કસ્તુરબા, ગાંધીજી, સરદાર પણ આપણી વચ્ચેથી વિદાય થયાં. છતાં શુક્રતારકની શોભા અને રૂડપની યાદ અપાવે એવા તેજસ્વી અને વહાલસોયા ભાઈ મહાદેવની પાવન સ્મૃતિ આજે પણ એમને જોયેલ જાણેલ કોઈની પણ આંખ ભીની કરાવે.

ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતાં કરતાં અધવચ રસ્તે અચાનક તૂટેલો મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી (क्षिप्रं भवति धर्मात्मा) ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ તે જ પ્રમાણે એકએકથી ચડિયાતા એવા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા એમ માની શકાય.

સ્વ. નરહરિભાઈ પરીખ કૉલેજ વકીલાત અભ્યાસના કાળે ભાઈ મહાદેવના સમાગમમાં આવ્યા. અને જોતજોતામાં બેઉ એકબીજાના જીવલગ સહૃદ સાથી અને કુટુંબી બન્યા. સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને સેવા જીવનમાં સમર્પણ કરી એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત લગણ એ ગાંઠ એવીને એવી અટૂટ રહી.

ગાંધીજી પાસે આવ્યા પછીની ભાઈ મહાદેવની જ્વલંત કારકિર્દી અને ચરિત્ર તો દેશને ચારે ખૂણે હજારો હજારોએ નિકટપણે જાણ્યાં. પણ એમના પૂર્વચરિતની ઓળખ કરાવીને એમનો ઉછેર અને વિકાસ કઈ રીતે થયો એની સુખદ ઝાંખી તો નરહરિભાઈ એકલા જ કરાવી શકે એમ હતું. એ કામ