પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આસામથી એક ૬૧ વર્ષના વૃદ્ધે પોતાના કાંતેલા અને પોતાના વણેલા ઝીણા વસ્ત્રના કડકા બાપુને પહેરવાને માટે મોકલ્યા છે. આવા આવા કેટલાય ભક્તો દેશના ખૂણામાં પડ્યા હશે.

* **

પુરુષોત્તમે રાજકોટથી એક લાંબો કાગળ લખીને ત્રણ સવાલ પૂછાવ્યા હતા : (૧) જૈનદર્શનના નિરીશ્વરવાદ અને ગીતાના ઈશ્વરવાદમાં ભેદ વિષે (૨) ઈશ્વરમાં કતૃત્વ ન હોય તે કૃપા કરનાર કોણ ? ભક્તિ કરનારને ઈશ્વરકૃપા વિના બીજું કયું શ્રદ્ધાનું આલંબન રહે ? માણસની પ્રાર્થના તે માણસની શુભેચ્છા કે એથી કાંઈ વધારે ? (૭) સત્ય એ જ ઈશ્વર છે એ બાપુની વ્યાખ્યાનું રહસ્ય.

એને બાપુએ વિસ્તારથી ઉત્તર આપ્યો :

૧. જૈન નિરૂપણ અને સામાન્ય વૈદિક નિરૂપણ વચ્ચે મે વિરોધ નથી જોયો, પણ કેવળ દૃષ્ટિબિંદુનો જ ભેદ છે. વેદનો ઈશ્વર કર્તા–અકર્તા બને છે. જગત બધું ઈશ્વરમય છે, તેથી ઈશ્વર કતા છે, પણ તે કર્તા નથી કેમ કે તે અલિપ્ત છે. તેને કર્મનું ફળ ભોગવવાપણું નશી. અને જે અર્થ માં આપણે કર્મ શબ્દ વાપરીએ છીએ તે. અર્થમાં જગત એ ઈશ્વરનું કર્મ નથી. ગીતાના જે શ્લોક તે ટાંક્યા છે તે આ રીતે વિચારતાં બંધ બેસે એવા છે. એટલું યાદ રાખવું : ગીતા એ એક કાવ્ય છે. ઈશ્વર નથી બોલતો કે નથી કાંઈ કરતો. ઈશ્વરે અર્જુનને કાંઈ કહ્યું છે તેવું નથી. ઈશ્વર અને અર્જુન વચ્ચેનો સંવાદ કાલ્પનિક છે. ઐતિહાસિક કૃષ્ણ અને ઐતિહાસિક અર્જુન વચ્ચે એવો સંવાદ થયો હતો એવું હું તો માનતો નથી. ગીતાની શૈલીમાં કાંઈ પણ અસત્ય છે અથવા તે અજુગતું છે, એમ પણ નથી. એવી રીતે ધર્મગ્રંથો લખવાનો રિવાજ હતો. અને આજ પણ કોઈ સંસ્કારી વ્યક્તિ લખે તો તેમાં કાંઈ દોષ ગણાય નહીં. જૈને કેવળ ન્યાયની, કાવ્યરહિત એટલા માટે લૂખી, વાત કહી દીધી અને કહ્યું કે જગતકર્તા એવો કોઈ ઈશ્વર નથી. એમ કહેવામાં કંઈ દોષ નથી, પણ જનસમાજ લુખા ન્યાયથી દોરાતો નથી. તેને કાવ્યની જરૂર પડે જ છે. તેથી જનના બુદ્ધિવાદને પણ મદિરાની, મૂર્તિ એની અને એવાં અનેક સાધનાની આવશ્યકતા જણાઈ. જોકે કેવળ ન્યાયની દૃષ્ટિએ એમાંનું કાંઈ નહીં જોઈએ.

( ૨ ) ખરું જોતાં પહેલા પ્રશ્નના જવાબના ગર્ભ માં તારા બીજા પ્રશ્નના જવાબ આવી જાય છે, જેમ બીજો પ્રશ્ન પણ પહેલાના ગર્ભમાં જ રહેલો છે, એમ હું માનું છું. ‘કૃપા’ શબ્દ કાવ્યની ભાષા છે. ભક્તિ

૧૦૫