પૃષ્ઠ:Mansaina Diva.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
માણસાઈના દીવા
 

“એમના પર આરોપ છે.”

“શાનો ?”

“ખોડિએ ત્રણ દા'ડા પર એક બાઈને લૂંટેલી, તેનો માલ સંતાડ્યાનો.”

“એમ ! કોણ સાહેદ મળ્યો છે ?”

“ખોડિઓ પોતે જ.”

“હાં–હાં ! શું કહે છે ખોડિઓ ?”

“કબૂલ કરે છે કે ફલાણાને ઘેર લૂંટનો માલ આપેલ છે.”

પગથી તે માથા લગી ઝાળ લાગી જાય એવી એ વાત હતીઃ ખોડિઓ—લૂંટો કરનારો ખોડિઓ—પકડાયો છે, અને જેઓ એને ઝાલી દેનારા છે તેમને એ સંડોવે છે ! સતવાદી હરિશ્ચંદ્રની સાક્ષી સાંપડી છે પોલીસને ! પણ મહારાજે આ આગ પચાવી જઈને સરફોજદારને એટલું જ કહ્યું : "ખોડિઆને પકડવાવાળા જ આ લોકો છે, એ જાણો છો ?”

“ના, પકડનાર તો અમારા પોલીસ છે.”

“રાખો રે રાખો ! એ જાડિઓ તો ખેતરવા દોડીને હાંફી ગયો હતો. પકડનારા જેઓ છે તેઓને જ તમે પકડ્યા છે—ને તે પણ એ ખોડિઆને કહ્યે, કાં ! એમને ઝટ છોડી દો નહીંતર હું પહોંચું છું વડોદરે, પોલીસ-કમિશનર પાસે. અધર્મની કાંઈ હદ ખરી કે નહીં ?”

છોડાવીને તમામને પાછા કાવીઠા લાવ્યા.

સાબરમતી જેલમાં ૧૯૨૮ના એક દિવસ પ્રભાતે એક કેદી-ચક્કરમાં કેદીઓને માટે ખાવાનું આવ્યું, બીજા તમામને બાજરીના રોટલા અને દાળ વહેંચી દીધા પછી વીશીવાળો એક નવા આવેલા કેદી કને આવ્યો, અને એને બાજરીના નહિ પણ ઘઉંના રોટલા આપ્યા. કેદીએ પૂછ્યું : "કેમ મને ઘઉંના ?"

"ખાવને તમતારે."

"પણ સમજ તો પાડ !