આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સેતાન તો તેના ગુલામોની રાહ જોઈ રહ્યો હતો કે, તેઓ મૂરખરાજ અને તેના ભાઈઓને પછાડવાના ખબર ક્યારે લાવે. પણ ખબર તો ન આવ્યા. તે પોતે તપાસ કરવા નીકળી પડ્યો. ખૂબ ઢૂંઢતાં ત્રણ ગુલામોને જોવાને બદલે તેણે તો ત્રણ પાતાળિયા ખાડા જોયા.
આથી તેણે વિચાર્યું કે, "એટલું તો ચોખ્ખું દેખાય છે કે, ગુલામો પોતાના પ્રયત્નમાં સફળ નથી થયા. હવે તો મારે જાતે ગયે છૂટકો છે."