પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ બારમું

આમ સેતાન નાસીપાસ થયો. તેનું સેનાપતિપણું મૂરખરાજની રૈયત આગળ કામ ન આવ્યું, એટલે હવે ભાઇબંધ નાણાવટી બન્યો. તેણે મૂર્ખાના રાજમાં નાણાવટીની દુકાન કાઢી. નાણાંથી મૂરખરાજને અને તેની રૈયતને ભમાવવાની તેણે આશા બાંધી.

સેતાન મૂરખરાજ કને જઇ બોલ્યો : "આપનું ભલું કરવા મારી ઉમેદ છે. હું આપની રૈયતને ડહાપણ