પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રજા સૂએ ઉઘાડે બાર, ન કરે ચોરી ચોર ચખાર;
સત્યે યમપતિ કીધો સાધ, પુરમાંહે કોને નહીં વ્યાધ.
કનકે ભરીઆ છે કોઠાર, જેહેવાં ધન તેવા દાતાર,
જાચકના દારિદ્રય કાપીઆં, નળે મુખ માગ્યાં ધન આપીઆં.
ભિક્ષુક કહે ભલું નળનું રાજ, ગયું દુઃખ હોલાણી દાઝ;
કીર્તિ થઈ નળની વિસ્તીર્ણ, જેમ સૂરજનાં પ્રસરે કીર્ણ.

(તેણે પુણ્યશ્લેક નામ ધરાયુ એટલે નળનું નામ દીધાથી પુણ્ય લાગે એવું લેક બારવા લાગ્યા. ધર્મ અને ભક્તિ ઉપર પ્રજાનું લક્ષ ચોંટ્યું. )

નળે લીધો એટલો નેમ, માગ્યું દાન આપે કરી પ્રેમ.
જો આવે મસ્તક માગનાર, તો આપતાં ના લગાડે વાર;
ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચ[૧], વીરસેન સુતનો ધ્યાયો યશ.
ત્યારે પુષ્કરને થઇ અદેખાઇ, મુજથકી વાધ્યો પિતરાઇ;
નળને નમે પ્રજા સ્મસ્ત, એ આગળ હું પામ્યો અસ્ત.
એહેવું જાણી મન આણી વૈરાગ્ય, ગયો વંન ઘર કીધું ત્યાગ;
નળનો વાળ્યો તે નવ વળ્યો, દારુણ વનમાં પોતે પળ્યો.
જઇને સેવ્યું પર્વત શૃંગ, તળે વહે છે નિર્મળ ગંગ;
શલ્યાનું કીધું આસન, પાંદડાંનું કીધું છત્ર રાજંન.
માનસી રાજ માંડ્યું વનતણું, કોકિલા ગાન કરે છે ઘણું;
આ મૃગ તે અશ્વ માહારે કારણે, દ્રુમ પ્રતિહાર ઉભા બારણે.
ભુંડુ હસ્તી પૃથ્વી પરજંગ, એ રાજ કેમે ન પામે ભંગ;
કો લુંટી લેવા આવી નવ ચડે, ઉઘાડે બાર ખાતર નવ પડે.
એણી પેરે માંડ્યું રાજ્યાસંન, અણચાલતે વશ કીધું મંન;
એ કથા એટલેથી રહી, નળ રાજા શું કરતો તહીં.
જ્યારે પુષ્કર ઉઠી વનમાં ગયો, ભાઇ વિના ભૂપ એકલો રહ્યો;


  1. ૧ (૧૮૦૬-બા∘). ૨ ‘અયળ તેણે’ (૧૮૦૬).