પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



નળાખ્યાન.
કડવું ૧ લું.

(ઢાળ.)

નૈષધનાથની કહું કથા, પુણ્ય શ્લોક જે રાય;
વૈશંપાયન વાણી વદે, અર્ણિક પર્વ મહિમાય.
રાજ્ય હારી ગયા પાંડવ, વસ્યા દ્વત વનમોજાર;
એકલો અર્જુન ગયો કૈલાસે, આરાધ્યા ત્રિપુરાર.
પશુપતાકાસ્ત્ર પશુપતિયે આપ્યું, પછે ગયો સ્વર્ગમાંહે;
કાલકેતુ પુલોમા માર્યો, પંચ વર્ષ રહ્યો તાંહે.
યુધિષ્ઠિરરાય અતિ દુઃખ પામ્યા, ઉપન્યો ઉદ્વેગ;
પુનરપિ પારથ નહીં આવ્યો, ભાઇએ કીધો તાંહા નવો નેગ.
એવે સમે એક તાપસ આવ્યો, બૃહદશ્વ અવું નામ;
પૂજા કીધી પાંડવે, આપ્યો વાસવાનો ઠામ.
ચાતુરા માસ તાંહા રહ્યા, કુંતીસુત કરે સેવાય;
રાત રાતના વારા ફરથી, પાંડવ ચાંપે પાય.
એક વાર યુધિષ્ઠિર બેઠા, તળાંસવાને ચર્ણ;
તે સમે અર્જુન સાંભર્યો, ભરાયું અંતસ્કર્ણ.
ધર્મરાયને ઋષિજી પૂછે, જળે ભીના પગ માહરા;
શે દુઃખે સતવાદી રાજા, નેત્રે ભરે જળધારા.
ધર્મ કહે સાંભળીએ સ્વામી, ઉઠી ગયો અર્જુન;