પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
નેતાજીના સાથીદારો
 


શ્રી. સહાયે હવે પોતાની પ્રવૃત્તિઓ વિકસાવવા માંડી, ચીનમાં જઈને હિંદનો સંદેશ સંભળાવવાનો નિશ્ચય કર્યો, શાંઘહાઇમાં વધુ મથક રાખીને એ જુવાનને ચીનમાં હિંદનો પયગામ પહોંચાડ્યો. તમામ સ્થળોની મુલાકાત લઇને હિંદની પરિસ્થિતિને સ્પર્શતા પ્રશ્નો વિષે વ્યાખ્યાનો આપ્યાં.

જાપાન અને ચીનની પ્રજા હિંદના પ્રશ્નને સમજતી થઈ. તેમ તેમ શ્રી. આનંદમોહનનું સ્થાન વધુને વધુ ઊંચું થતું ગયું. ૧૯૩૯ માં ફીલીપાઈનમાં પ્રવાસ કરવા માટે તેમને મનીલાથી આમંત્રણ મળ્યું પણ શ્રી. સહાય બ્રિટિશ પ્રજાજન હોઈને તેમને ફીલીપાઈન જવા દેવાને તૈયાર નહતી.

દરમિયાન વિશ્વયુદ્ધનો દાવાનળ ફાટી નીકળ્યો. હિટલરની આગેકૂચ વધતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય તૂટી પડવાની અણીપર હતું. તૂટી પડું, તૂટી પડું, કરતાં એ સામ્રાજ્યને એકદા જાપાને ફટકો માર્યો. જાપાને બ્રિટન સામે યુદ્ધ પોકાર્યું અને બદલાયેલી વિશ્વ પરિસ્થિતિને કારણે શ્રી. સહાય પોતાના મંત્રી રામસીંગ રાવલ અને સ્વ. રાસબિહારી ઘોષના મંત્રી ડી. એસ. દેશપાંડે સાથે શાંઘહાઈમાંની કમિટીઓની પુનર્રચનાના કામે લાગી ગયા.

હિંદી પ્રજા દર વર્ષે જે સ્વાતંત્ર્યદિન ઉજવે છે એ સ્વાતંત્ર્યદિન પૂર્વ એશિયાના હિંદીઓ પણ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે એવી સ્વાતંત્ર્યદિનની એક જંગી સભાનું પ્રમુખસ્થાન શ્રી. સહાયે લીધું, એ સભાના પ્રમુખસ્થાનેથી તેમણે પૂર્વ એશીઆના હિંદીઓની એક જ વ્યવસ્થિત સંસ્થાની હિમાયત કરી અને તે મુજબ તેમની ઇન્ડિયન નેશનલ એસોસીએશન ઓફ જાપાનને હિંદ સ્વાતંત્ર્ય સંઘ સાથે જોડી દીધી.