પૃષ્ઠ:Niharika.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દીવાલો બાંધીને રચી ભુલવણી ! જ્ઞાન અધૂરું
બિચારું શું બોલે તુજ કૃતિ વળી આકૃતિ વિશે ?

ઉપજાતિ]

ખોદી ખણી વળુ પગ ચડાવી
રચી રહ્યાં દેવલ બાલકો કૈં
એવાં અમારા સહુ મંદિરો છે–
અપૂર્ણ ને અલ્પ કુરૂપ ખોટાં !

અરે દયાસાગર ! તો ય તારા
કો અંશની ઝાંખી જરાક દેજે.
કદી અમારાં ગીત તાલહીણાં
મહીં જરા તારી મીઠાશ દેજે.

ક્ષણે ક્ષણે પામરતા અમારી
બતાવતી માનવ બુદ્ધિ સીમા.
લગીર ખોલી પડદો અભેદ્ય
એકાદ દેજે તુજ દિવ્ય રશ્મિ !

વસંતતિલકા]

તારા પવિત્ર ચરણે ધરતો સમસ્તઃ
બુદ્ધિ શરીર મન સંસ્કૃતિ-સૌ અધૂરાં !
ખીલ્યું વિશાળ અભિમાન અહંપણાનું
તે યે ધરું !–સહી શકાય ન ભાર તેનો.

ઉપજાતિ]

દયા ભર્યાં દ્વાર સમીપ બેઠો !
નથી અધિકાર, ન પાત્રતા છે !

૧૪૯ : નિહારિકા