પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧૭


ઘણીજ સસ્તી-અર્ધ કરતાં પણ ઓછી કીંમતે સુરસ પુસ્તકો જોઈતાં હોય તો આઠ આના મોકલી ગ્રાહક થાઓ ને અત્યંત સસ્તા સાહિત્યને તરત જ લાભ લો. આ યોજનાની ફતેમંદીનો આધાર પાંચ હજારથી વધારે ગ્રાહકોની સંખ્યા ઉપરજ છે. તદન નવા ધોરણની વગર જોખમી ને સસ્તામાં સસ્તી

જ્ઞાનવર્ધકપુસ્તકમાળા.

નિયમો- (૧) ગ્રાહક થનાર પ્રવેશફીના આઠ આના પહેલાં મોકલવા. (૨) ગ્રાહકને તમામ પુસ્તક અર્ધી કિંમતે મળે. (૩) તે ઉપરાંત વિશેષ લાભ-પાંચ વર્ષે કાયમના ગ્રાહકને એક રૂપીઓ બોનસનો મળે. (૪) લવાજમ અગાઉથી ભરવાનું નથી; (૫) પણ રેક પુસ્તક વિ. પી. પોસ્ટના ખર્ચ સાથે વિ પી. થી મોકલાશે. (૬)ગ્રાહકમાંથી કમી થનારને પ્રવેશફીના પૈસા રોકડા પાછા મળે. (૭) વર્ષની શરૂઆત જાન્યુઆરીથી

પસંદ કરવા ધારેલાં પુસ્તકમાંનાં કેટલાંકની યાદી.

(૧) “હાસ્યમંદિર (છાપવાનું શરૂ થયું છે) કર્તા ઓન.રાવ, બ, રમણભાઈ મહીપતરામ બી. એ., એલએલ. બી. આ પુસ્તકમાં “હાસ્યરસ” વિશેનો નિબંધ તથા તેમના તેમજ તેમનાં પત્ની સૌ. વિદ્યાગૌરીના હાસ્યરસને લગતા પચીશેક લેખો –મનોરંજક વાર્તાઓ સંવાદ વગેરે આવશે. (પાછલા પાના ઉપર વાંચો)