આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
વ્યર્થ ભયે રચી મૂર્તિ ભયાનક, જય બ્હીતુ રહ્યું રે લોલ;
જ્ઞાનતી તલવાર અડકતાં મૃત્યુ મરી ગયું રે લોલ. ૭
ચૉગમ નાંખી નજર નિહાળું હું — મૃત્યુ કય્હાં રહે રે લોલ ?
માયાદેહ ધરંતું એહ જ, મૃત્યુ મરી ગયું રે લોલ. ૮
જોયું જીવનતત્ત્વ સનાતન, સત્ય પ્રકાશિયું રે લોલ;
અમરપણું પ્રગટ્યું, પછી તત્ક્ષણ મૃત્યુ મરી ગયું રે લોલ. ૯
જીવન પરજીવન બે એક સરિતનું વ્હૅણ રે લોલ.
રૂપ બદલતું જીવા તે પરજીવનમાં ધસે રે લોલ. ૧૦
જીવન-જ્યોતિપૂર વિશાળું જગોજગ રેલિયું રે લોલ
જતાં દિવ્ય નયનથી નિશ્ચય મૃત્યુ મરી ગયું રે લોલ. ૧૧
વિધુરનું માયાદર્શન.
(*[૧]લાવણ્યમયી.)
ઉષા ઝળકતાં કર પીંછી લઈ આલેખી છબિ એક;
રંગ અનુપ કંઈ ઉષાતણા મહિં પૂર્યા આછા છેક,
વિવેક વડે વીણેલા; ૧
- ↑ * * સ્વર્ગસ્થ ભીમરાવ જોળાનાથની લખેલી લાવણ્યમયી “અ- રુણ તરણુ આ ઉદય થયો” ઇ. ની પ્રમાણ.