લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pankaj.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૨૩
 


'શું થયું?' અમલદારે પૂછ્યું.

'પેલો તો પરણી બેઠો.'

'કોણ? સૂર્યકાન્ત?'

'હા. એ જ. હવે નાત બહાર થવાના, અને અમારી સાતે પેઢીનું નામ બોળાયું !'

'એમાં હું શું કરી શકું !' અમલદારે કહ્યું.

'હજી લગ્નક્રિયા ચાલે છે. આપ આવી અટકાવો તો બહુ સારું.'

'તમારું કાવતરું મેં સફળ ન થવા દીધું, ખરું ?’ સહજ હસી અમલદારે પૂછ્યું.

'કાવતરું? કોણે કર્યું?' શેઠે પૂછ્યું. શેઠને ચમક થઈ.

'આપ જાણો અને આ આપના સાથીદાર જાણે !'

'મારા સાથીદાર ? આમને તો મેં જોયા પણ નથી.'

'આપના ભત્રિજાનું નામ સૂર્યકાન્ત ખરું ને ?'

'હા.' શેઠે કહ્યું.

'સૂર્યકાન્તના ખૂનની તજવીજમાં તમે હતા કે નહિ?' રતિલાલ તરફ જોઈ અમલદારે પૂછ્યું.

રતિલાલની આંખ કાંઈ ઊંડું ઊંડું નિહાળી રહી. અંતે તેણે કહ્યું:

'ના, સાહેબ.'

'સુલતાને આપ ઓળખો કે નહિ?' અમલદારે શેઠને પૂછ્યું.

'હા, હા, એ જ પેલી. શું કહું? આપ ઝડપ કરો. નહિ તો મંગળફેરા ફરી લેશે.'

'સુલતાના ખૂનની પણ તમારી કોશિશા હતી, એવો હું આરોપ તમારા ઉપર મૂકું છું. બોલો શું કહેવું છે?' રતિલાલને અમલદારે કહ્યું.

'હું એનો ઈન્કાર કરું છું.'