આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’
અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા.
મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી રહ્યો, સતીઓ થતી બંધ કર્યે સૈકો થવા આવ્યો. વીસમી સદ્દીમાં ત્હાંરે નરમેઘ પૂજવા છે ?’
‘ખ્રીસ્તીઓનાં દેવળો પૃથ્વી ઉપર કેટલાં હશે ?’ એણે પૂછ્યું.
‘ત્હાસરી તો બુદ્ધિનું બજાર એટલે અપ્રસ્તુતના પ્રશ્નો. વાત કરતાં વગડે દોડે ! ત્હાીરા પ્રશ્નને ને ચાલતી વાતને લેવાદેવા શી છે ?’
‘પણ કહે તો ખરો કે ખ્રીસ્તી દેવળો કેટલાંક છે દુનિયામાં ?’ એ હઠે ચ્હેડ્યો.
‘હશે-લાખ હશે, બે લાખ હશે.’
‘યૂરોપઅમેરિકામાં ગામડાં ને નગરો એટલાં દેવળો તો ખરાં ને ?’
૮૧